![]() |
![]() SANJ SAMACHAR | Date: 21-05-2024 Tuesday | Rajkot |
|
રાજકોટ, તા. 21
શ્રીલંકા સરકારના આમંત્રણ પર, વૈશ્વિક શાંતિના પ્રણેતા અને માનવતાવાદી નેતા, ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરે અશોક વાટિકામાં આવેલા સીતા અમ્માન મંદિરના ઐતિહાસિક અભિષેક અને કુંભાભિષેક સમારોહમાં, શ્રીલંકાના સીથા ઇલિયા ગામમાં હાજરી આપી હતી. તે ભારત અને શ્રીલંકા વચ્ચેના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સંબંધોનું મહત્વ દર્શાવતું મંદિર છે. આ સમારોહમાં ભારત, નેપાળ અને શ્રીલંકાના ભક્તોની ઉપસ્થિતિ જોવા મળી હતી.
ગુરૂદેવે કહ્યું.‘માતા સીતા એ કરૂણા, માતૃત્વ અને સહનશક્તિનું પ્રતિક છે,’
અયોધ્યાથી આ વિશેષ પ્રસંગ માટે સરયુ નદીનું પવિત્ર જળ વહાવવામાં આવ્યું હતું. આ મંદિર તે સ્થાનને પણ ચિહ્નિત કરે છે જ્યાં ભગવાન હનુમાનને માતા સીતાના પ્રથમ દર્શન થયા હતા, જે તેમનામાં ભગવાન રામ સાથે પુન:મિલનની આશા જગાવે છે. ગુરૂદેવે નેપાળમાં જનકપુર (માતા સીતાનું જન્મસ્થળ), અયોધ્યા (ભગવાન રામનું જન્મસ્થળ) કિષ્કિંદા અને હાલના કર્ણાટકમાં (ભગવાન હનુમાનનું જન્મસ્થળ) આશીર્વાદ આપ્યા હતા.
‘આ સંસ્કૃતિઓ વચ્ચેના આપણા પ્રાચીન જોડાણની પુન: પુષ્ટિ કરે છે, ગુરૂદેવે કહ્યું હતું કે, ‘આપણે તે મૂલ્યોના પુન: સ્થાપનની જરૂર છે જે ક્ષીણ થઈ રહ્યા છે. રામરાજ્ય એ સમાજ છે જ્યાં આપણે આપણું જીવન કુદરતના નિયમો અનુસાર, સુમેળ, સમૃદ્ધિ અને સુખમાં જીવીએ છીએ. આ સ્થાન વિશ્વભરની મહિલાઓમાં દુ:ખમુક્ત જીવન અને ન્યાયપૂર્ણ અને સમૃદ્ધ સમાજની આશા જગાડે છે.’
ગુરૂદેવને એમ્બેસેડર ફોરમ દ્વારા ‘માનવતા માટે વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટેના મિશન’ આજીવન પુરસ્કાર પણ સમર્પણ કરવામાં આવ્યો હતો. એ પણ ઉલ્લેખ કર્યો છે કે ગુરૂદેવની મુલાકાત ‘શ્રીલંકાને એમના નાગરિકો દ્વારા પડકારજનક સમય સાથે લડવાની હિંમત અને શક્તિ માટે યોગ્ય દિશાનિર્દેશ કરશે.’
બંદરનાઈકે ઈન્ટરનેશનલ એરપોર્ટ પર માનનીય મંત્રી પ્રેમીતા બંદારા ટેનાકુન દ્વારા 18મી મેના રોજ ગુરૂદેવનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રીલંકાના માનનીય વડાપ્રધાન શ્રી દિનેશ ગુણવર્દના મૈત્રીપૂર્ણ આમંત્રણ પર, ગુરૂદેવ ત્રણ દિવસની રાજ્ય મુલાકાતે હતા.
ગુરૂદેવે દેશભરમાં આર્ટ ઓફ લિવિંગના 12 કૌશલ્ય વિકાસ કેન્દ્રોનું પણ ઉદ્ઘાટન કર્યું. આ કેન્દ્રોનો ધ્યેય 5000 થી વધુ યુવાનોને કૌશલ્ય સાથે સશક્ત કરવાનો છે જેથી તેઓ નોકરી માટે તૈયાર થઈ શકે.
શ્રીલંકામાં આર્ટ ઓફ લિવિંગ અને ડિપાર્ટમેન્ટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગે વિદ્યાર્થીઓ માટે ઉદ્યોગસાહસિકતા અને નેતૃત્વના અભ્યાસક્રમો અને વિભાગ માટે શિક્ષક-પ્રશિક્ષણ આપવા માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. વધુમાં, બેંગ્લોર સ્થિત શ્રી શ્રી કોલેજ ઓફ આયુર્વેદિક સાયન્સ એન્ડ રિસર્ચે સંશોધન અને નવીનતામાં સહયોગ કરવા માટે ગમ્પાહા વિક્રમાર્ચી યુનિવર્સિટી (દેશમાં યોગમાં ડિગ્રી પ્રદાન કરતી એકમાત્ર યુનિવર્સિટી) સાથે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.