![]() |
![]() SANJ SAMACHAR | Date: 24-05-2024 Friday | Rajkot |
|
રાજકોટ,તા.24
પૂ.પૂ.પંડિત મ.સાના સમુદાયના પૂ.મુનીરાજ ચૈતન્યજીત વિજય મ.સા વૈશાખ સુદ 15ના તા.23ના ગુરુવારે બપોરે 12.52 કલાકે "અરિહંત” ના ધ્યાનમાં 73 વર્ષની ઉંમરે,18 વર્ષ દીક્ષા પર્યાયે પરમ સમાધિપૂર્વક મહાવીદેહ ધામ, વેસુ સુરત ખાતે કાળધર્મ પામ્યા છે.
આજે સવારે પાલખી મહાવીદેહ ધામ, વેસુ થી નીકળી પીપલોદ ગામ લેકવ્યું ગાર્ડન થઈને ઉમરા સ્મશાન ગૃહ ખાતે પહોંચી હતી અને અંતિમ વિધિ કરાઈ હતી.