www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ખંભાળિયા કલેકટર કચેરી ખાતે કર્મયોગીઓ દ્વારા ‘આંતવાદ વિરોધી દિવસ’ નિમિતે શપથ ગ્રહણ કરાયા


સાંજ સમાચાર

જામખંભાળિયા,તા.22
ગઈકાલ તા.21મેના રોજ "આતંકવાદ વિરોધી દિવસ” નિમિત્તે ખંભાળિયામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા તેમજ કર્મયોગીઓએ રાષ્ટ્રમાં સામાજિક સદ્ભાવ, શાંતિ અને સલામતી જાળવી રાખવા માટેના શપથ ગ્રહણ કર્યા હતા.દર વર્ષે તા. 21 મેના રોજ, ભારત રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ ઉજવે છે. આ દિવસ આતંકવાદના જોખમો અને આ વૈશ્વિક ખતરા સામે લડવામાં એકતાના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે સમર્પિત છે. 

 

Print