www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ખંભાળિયાના બી.આર.ટી. ભવન ખાતે પ્રવેશોત્સવ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો


સાંજ સમાચાર

જામ ખંભાળિયા, તા. 29
ખંભાળિયાની જિલ્લા પંચાયત કચેરીના બી.આર.સી. ભવન ખાતે તાજેતરમાં જિલ્લા પંચાયત પ્રમુખ રિદ્ધિબા જાડેજાની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી મહોત્સવની ઉજવણી ખૂબ જ ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી. જેમાં તાલુકા શાળા - 5, ગોકીબાઈ પ્રાથમિક શાળા, શક્તિનગર ક્ધયાશાળા, બેલાવાડી પ્રાથ. શાળા અને બ્રાન્ચ શાળા નં. - 1 ના બાલવાટિકા, ધોરણ - 1 તેમજ આંગણવાડીના કુલ 125 થી વધુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરી પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.

જેમાં સ્થાનિક નિવૃત્ત શિક્ષણવિદ એવા હીરાભાઈ વાઘેલાનો સહયોગ સાંપડ્યો હતો. વધુમાં શ્રેષ્ઠ પરિણામ મેળવેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળતું રહે તે માટે ઈનામ વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં જિલ્લા આંકડા અધિકારી જાગૃતિબેન પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટ, પી.એસ. જાડેજા, શકિતનગરના સરપંચ, તલાટી કમ મંત્રી, તાલુકા પંચાયત સદસ્યો, લાયઝન અધિકારી વિગેરે દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
(ફોટો:- કુંજન રાડિયા)

Print