www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ઉદયનગરના મઘીબેન ખોડાનું હાર્ટએટેકથી મોત


પોતાના ઘરે હતા ત્યારે પડખામાં દુ:ખાવો થતો હોવાનું કહેતા હોસ્પિટલે ખસેડતા સારવારમાં મોત થયું

સાંજ સમાચાર

રાજકોટ, તા.27

શહેરના ઉદયનગરમાં રહેતા મઘીબેન રામજીભાઇ ખોડા (ઉ.વ. 47) સવારે 11-30 વાગ્યા આસપાસ પોતાના ઘરે હતા ત્યારે ડાબી બાજુ પડખામાં દુ:ખાવો થતો હોવાની ફરિયાદ કરતાં તેમને પ્રથમ ગુંદાવાડીના ખાનગી ક્લીનીકમાં ખસેડાયા હતા ત્યાં ડોકટરે હળવો એટેક હોવાનું કહેતા તુરંત 108 મારફત સિવિલ હોસ્પીટલમાં ખસેડાતા હતા ત્યારે રસ્તામાં જ બેભાન થઇ ગયા હતા.

સીવીલ હોસ્પીટલના ઇમરજન્સી રૂમમાં ખસેડતા ત્યાંના તબીબે મૃત જાહેર કર્યા હતા.મઘીબેનને સંતાનમાં એક 13 વર્ષની દીકરી છે. પતિ રીક્ષા ચલાવે છે. મઘીબેન 3 બેન અને 2 ભાઇમાં સૌથી નાના હતા તેમના મૃત્યુથી પરિવારમાં શોક છવાયો હતો.

Print