![]() |
![]() SANJ SAMACHAR | Date: 28-06-2024 Friday | Rajkot |
|
રાજકોટ, તા. 8
ચોમાસાની ઋતુ તથા વાવાઝોડા વખતે પડતી મુશ્કેલીના સમયે ઉપયોગી નીચે મુજબના ઇમરજન્સી ક્ધટ્રોલ રૂમ 24 કલાક માટે મહાપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ છે જેથી ચોમાસાની ઋતુને લગત કોઇ પણ ઇમરજન્સી કામગીરી માટે સંપર્ક કરવા જાહેર જનતાને ફાયર શાખા મેનેજરે અનુરોધ કર્યો છે.
મુખ્ય કંટ્રોલ રૂમ નાના મવા સર્કલ પાસેના આઇસીસીસી ખાતે શરૂ કરાયો છે તો મુખ્ય ફાયર સ્ટેશનમાં 11 ટેલીફોન નંબર એકટીવ કરાયા છે. ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટરને પણ મદદ માટે તૈયાર કરાયું છે.