![]() |
![]() SANJ SAMACHAR | Date: 24-05-2024 Friday | Rajkot |
|
(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 24
બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ધાંગધ્રા શહેરના આંબેડકર નગર વિસ્તારમાં બૌદ્ધ ધમ્મ યાત્રા કાઢવામાં આવી હતી આ યાત્રા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને વિવિધ વિસ્તારોમાં ફરીને ડોક્ટર આંબેડકર ભવન હોલ ખાતે ધમ્મ સભા યોજી.
વૈશાખી પૂનમને ભગવાન બુદ્ધની જન્મજયંતી જેને બૌદ્ધ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન બુદ્ધનો જન્મ ઇ.પૂર્વે 563 થયો હોવાનું માનવામાં આવે છે. ભારત-નેપાળ સરહદ પર આવેલા લુમ્બિની રાજ્યના રાજકુમાર સિદ્ધાર્થ તરીકે જન્મેલાં ગૌતમ બુદ્ધે 29 વર્ષની ઉંમરે જ સાંસારિક જીવન છોડીને સંન્યાસનો માર્ગ અપનાવ્યો હતો.
આજે અમે બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ધાંગધ્રા શહેરના આંબેડકર નગર વિસ્તારમાં બૌદ્ધ ધમ્મ યાત્રા કાઢવામાં આવી હતી આ યાત્રા વિવિધ વિસ્તારોમાં ફરીને ડોક્ટર આંબેડકર ભવન હોલ ખાતે ધમ્મ સભા યોજી યાત્રા નું સમાપન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો યાત્રામાં જોડાયા હતા.