www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

પ. પૂ. રમેશભાઈ ઓઝાના સાંદીપનિ આશ્રમની મુલાકાત લેતા પૂર્વ મંત્રી ડો. વલ્લભભાઈ કથીરિયા


સાંજ સમાચાર

મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ, સુદામા શહેર પોરબંદરના પ્રવાસ દરમિયાન ખ્યાતનામ ભાગવત કથાકાર સંત પ. પૂ. રમેશભાઈ ઓઝાના સાંદીપનિ આશ્રમ ખાતે હરિ મંદિરમાં ડો.વલ્લભભાઈ કથીરિયાએ પ્રાર્થના કરી ભૂદેવ પાસેથી આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે આશ્રમ સ્થિત ગૌશાળાની મુલાકાત લીધી હતી અને ગાયને ઘાસ અર્પણ કર્યું હતું. ડો.વલ્લભભાઈ કથીરિયાએ જણાવ્યુ હતું કે, સાંદીપનિ આશ્રમ ભારતીય સંસ્કૃતિ, વેદ જ્ઞાન, ધર્મ, ગૌ સંરક્ષણ જેવા વિષયો પર સતત કાર્ય કરી રહ્યું છે. આ સમયે સાંદીપનિ આશ્રમના ડો.ભરતભાઈ ગઢવી, શશીભાઈ જોષી, જગદેવસિંહજી, ડો.મશરૂ સહિત સંસ્થાના કાર્યકરો ઉપસ્થિત હતા.

Print