www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કર્ણાટકમાં તીર્થયાત્રીઓની બસને ભીષણ અકસ્માત : 13 લોકોના મોત


ડ્રાઈવરને ઝોકુ આવી જતાં અકસ્માત સર્જાયાનું અનુમાન: ઘાયલોને હોસ્પીટલે દાખલ કરાયા

સાંજ સમાચાર

હાવેરી,તા.28
કર્ણાટકના હાવેરી જીલ્લામા આજે વહેલી સવારે બ્લાદગ્ન તાલુકામા એક મીની બસ રસ્તા પર ઉભેલા એક ટ્રક સાથે ટકરાતા 13 લોકોનાં કમકમાટીભર્યા મોત થયા છે અને બે લોકો ગંભીર ઘાયલ થયા છે.

પોલીસે જણાવ્યું હતુ કે, પીડીત યાત્રીઓ શિવમાંગાના રહેવાસી હતા અને દેવી યલમ્માનાં દર્શન માટે તીર્થયાત્રા બાદ બેલગાવ જીલ્લાનાં સવા દટ્ટીથી પરત ફરી રહ્યા હતા ત્યારે આ ગમખ્વાર અકસ્માત થયો હતો.

આ દુઘર્ટનામાં 13 લોકોના મોત થયા છે.જયારે ઘાયલોને હોસ્પીટલે દાખલ કરાયા છે. પોલીસે જણાવ્યું હતું કે બસ ચાલકને ડ્રાઈવીંગ દરમ્યાન નીંદર આવી જતા દુઘર્ટના સર્જાઈ હતી.

 

Print