www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કોઠારીયાના પ્લોટમાંથી આવાસ યોજનાનો હેતુ અન્યત્ર ફેરવવા રજુઆત


સાંજ સમાચાર

શહેરના કોઠારીયા વિસ્તારમાં આવેલ ગોપાલ હેરીટેજના લત્તાવાસીઓએ કમિશ્નરને આવેદનપત્ર પાઠવી બાજુના પ્લોટનો ઉપયોગ યથાવત રાખવા રજુઆત કરી છે. આ સોસાયટી બાજુના 1093 ચો.મી.ના પ્લોટમાં મંદિર, બાલક્રિડાંગણ, પાર્કિંગ છે. 89 પરિવારો તેનો ઉપયોગ કરે છે. પરંતુ મનપા અહીં આવાસ યોજના બનાવવાનું આયોજન કરે છે. આ પ્લોટમાં યોજના બેસે તો આ તમામ સુવિધા નષ્ટ પામશે. આથી આ જગ્યાના બદલે તાલુકા શાળા આજુબાજુના કોઇ પ્લોટમાં આવાસ યોજનાનો હેતુ ફેરવવા લતાવાસીઓએ માંગણી કરી છે.                                                     

(તસ્વીર : પંકજ શીશાંગીયા)

Print