SANJ SAMACHAR | Date: 22-05-2024 Wednesday | Rajkot |
www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net |
નવીદિલ્હી,તા.22
જ્યારે રાહુલ ગાંધી વિશે પૂછવામાં આવ્યું કે જો તેઓ વાયનાડ અને રાયબરેલી બંને બેઠકો જીતે તો કઈ સીટ છોડવી જોઈએ, તેમણે કહ્યું કે આ તેમની વ્યક્તિગત પસંદગી છે. તેમણે કહ્યું, ’અમે ઓછી બેઠકો પર ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે.
આ ગઠબંધનના ભાગીદારોને સાથે રાખવા માટે કરવામાં આવી રહ્યું છે અને તેથી જ અમે આ સમજૂતી કરી છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ 328 સીટો પર ચૂંટણી લડી રહી છે, જે અત્યાર સુધીની સૌથી ઓછી છે.
ખડગેએ કહ્યું કે, કોંગ્રેસે આ લોકસભા ચૂંટણીમાં જાણી જોઈને ઓછી સીટો પર ચૂંટણી લડી છે, જેથી I.N.D.I.A. ગઠબંધનને સાથે રાખી શકાય અને ભાજપને હરાવી શકાય. કોંગ્રેસ 328 બેઠકો પર ચૂંટણી લડી રહી છે, જે તેની અત્યાર સુધીની સૌથી ઓછી સંખ્યા છે, તેણે I.N.D.I.A..ગઠબંધનમાં અન્ય સાથીઓ માટે 200 થી વધુ બેઠકો છોડી છે.
ખડગેએ સપાના અખિલેશ યાદવના એ નિવેદનનો પણ જવાબ આપ્યો જેમાં તેમણે કહ્યું હતું કે ઈડી, સીબીઆઈની કોઈ જરૂર નથી અને તેમના પર પ્રતિબંધ લગાવવો જોઈએ. તેમણે કહ્યું કે, ’જો અમારી સરકાર આવશે તો અમે તમામ કાયદાઓની સમીક્ષા કરીશું. લોકોને હેરાન કરવા માટે જે કંઈ પણ કરવામાં આવશે, અમે તેનો વિરોધ કરીશું.
ભાજપે જે રીતે તપાસ એજન્સીઓના દુરુપયોગની પ્રક્રિયા અપનાવી છે તેવી કોઈએ અપનાવી નથી. તપાસ અને યોગ્ય તપાસ થવી જોઈએ પરંતુ ભાજપ પોતે પુરાવા ઘઢે છે અને કેસ બનાવી લોકોને જેલના સળિયા પાછળ ધકેલી રહ્યો છે.