www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કોંગ્રેસ સાથે છેડો ફાડનાર વરિષ્ઠ નેતાનો રાહુલ પર કટાક્ષ

રાહુલ કોંગ્રેસના વિસર્જનનું મહાત્મા ગાંધીનું સપનુ પુરું કરશે!: આચાર્ય પ્રમોદ કૃષ્ણમ


સાંજ સમાચાર

નવી દિલ્હી, તા.23
એક સમયના કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ત્યારબાદ કોંગ્રેસનો છેડો ફાડનાર આચાર્ય પ્રમોદ કૃષ્ણમે રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું હતું કે આ ‘મહાપુરુષ’ કોંગ્રેસને ખતમ કરવાનું કામ કરી રહ્યા છે. તેમણે મહાત્મા ગાંધીજીનો હવાલો આપીને કહ્યું હતું કે મહાત્મા ગાંધીજીએ સપનું જોયું હતું કે કોંગ્રેસનું વિસર્જન કરી નાખવું જોઇએ. જે કામ ભાજપ પણ ન કરી શકી તે કામ રાહુલ ગાંધી કરી રહ્યા છે.

પ્રમોદ કૃષ્ણમે જણાવ્યું હતું કે માત્ર હું જ નહીં દેશના કરોડો કોંગ્રેસ કાર્યકર્તા એ વાતથી વાકેફ છે કે રાહુલ ગાંધી કોંગ્રેસને ખતમ કરવાનું કામ કરી રહ્યા છે. 4 જૂન બાદ કોંગ્રેસ અત્યાર સુધીની સૌથી ઓછી સીટ જીતનારી પાર્ટી બનશે.

 

Print