![]() |
![]() SANJ SAMACHAR | Date: 21-06-2024 Friday | Rajkot |
|
રાજકોટ,તા.21
રાજસ્થાનના પાલી ખાતે પરમ પૂજય આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય શાંતિચંદ્ર સુરિજીમ.ના સમુદાયના પૂ.આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયશ્રી યોગતિલક સુરીશ્ર્વરજી મહારાજાના આજ્ઞાનુવર્તી પૂ.સાધ્વીજી ભગવંત શ્રીહિતજ્ઞાશ્રીજી મ.ના શિષ્યા પૂ.સાધ્વીજી શ્રી શાસ્ત્રજ્ઞા શ્રીજી વિહાર કરતા મ.નો એક કારે ટકકર મારતા કાળધર્મ પામ્યા છે.સાધ્વીજી શ્રી શાસ્ત્રજ્ઞા શ્રીજી મહારાજ ભાભરના રહેવાસી હતા.તેમનું સંસારી નામ જીલબેન હતું.તથા નીતિનભાઈ રમણીકલાલ સંઘવીના પુત્રી થતા હતાં.