SANJ SAMACHAR | Date: 27-06-2024 Thursday | Rajkot |
www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net |
નવી દિલ્હી,તા.27
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને ગઈકાલે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં તેમની તબીયત સ્થિર છે. રૂટીન ચેકઅપ માટે તેમને દાખલ કરવામાં આવ્યા હતા.
એઈમ્સના યુરોલોજી વિભાગમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા અને તેમને ડોકટરોના સુપરવિઝન હેઠળ રાખવામાં આવ્યા હતા. હોસ્પિટલે જણાવ્યું હતું કે અડવાણીની તબીયત સ્થિર છે.