![]() |
![]() SANJ SAMACHAR | Date: 20-05-2024 Monday | Rajkot |
|
બોટાદ,તા.20
જનસેવા અને સંસ્કાર નું સિંચન કરતી અને અનેકવિધ માનવ સેવાકીય પ્રવૃત્તિ કરતી અગ્રણી સેવા સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા યોગી જેમ્સ (મુંબઈ - સુરત) સ્વ.પોપટભાઈ મનજીભાઈ મોરડીયા નાં સૌજન્ય થી દીનદયાળ ચોક બોટાદ ખાતે મિનરલ વોટર ઠંડા પીવાના પાણી નાં પરબ નો શુભારંભ તા.18/05/24 ના રોજ પરબ ખુલ્લું મુકવામાં આવેલ.
આ વિસ્તારમાં અનેક વટેમાર્ગુ અને મોટી સંખ્યા માં બહારગામ ના મુસાફરો ની મોટી અવર જવર રહેતી હોય આ પરબ ગરમી માં અનેક લોકો ની તરસ છીપાવવા મહત્તમ ઉપયોગી નીવડશે.
આ પ્રસંગે જાયન્ટ્સ સંસ્થા ના પ્રમુખ ચંદુભાઈ સાવલિયા, યુનિટ ડાયરેકટર ગ્રીન મેન સી.એલ. ભિકડિયા, ડી. એ. દિપકભાઈ માથુકિયા , લાલજીભાઈ કળથીયા,મુકેશભાઈ જોટાણીયા,ફુલાભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહેલ.