www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સાધ્વીજી પૂ.શ્રી વિપુલયશાશ્રીજીમ.ના 70માં સંયમ દિન નિમિતે શાંતિ વિધાન પૂજન ભણાવાયું


સાંજ સમાચાર

રાજકોટ,તા.28
આગમોદ્ધારક શ્રીના સમુદાયના ગચ્છાધિપતિ આ.શ્રી.નરદેવસાગર સુરિજીમ.ના આજ્ઞાનુવર્તી પૂ.સાધ્વીજી શ્રીશિવ તિલક મૃગેન્દ્ર શ્રીજીમ.ના શિષ્યા શ્રી સાધ્વીજી શ્રી સુયશાશ્રીજીમ.ના કૃપાપાત્ર સાધ્વીજી ભગવંત પૂ.શ્રી વિપુલયશાશ્રીજી.મના આજે 70માં સંયમ પર્યાયના પ્રવેશ દિને તથા દાદી ગુરૂશ્રી મૃગેન્દ્રશ્રીજીમના દીક્ષાદિન નિમિતે માંડવી ચોક દેરાસર (દાદાવાડી) ખાતે પૂ.સા.શ્રી.ધર્મશીલાશ્રીજી મ.પૂ.સા.શ્રી.રમ્ય શીલાશ્રીજીમ.પૂ.સા.શ્રી ભવ્યશીલા શ્રીજીમ.તથા પૂ,સાધ્વીજી શ્રી પર્વયશાશ્રીજીમ.આદિની પ્રેરણાથી મહાપ્રભાવક અખંડધારા અભિષેક યુકત શાંતિ વિધાન પૂજાનું આયોજન કરવામાં આવેલ હતું.

ઉપરોકત તસ્વીરમાં પૂ.સાધ્વીજી ભગવંત શ્રી વિપુલયશાશ્રીજીમ.આદિઠાણા, બીજીમાં અને ત્રીજી તસ્વીર પૂજનનો લાભ લેતા ભાવિકો જોવા મળે છે. આ પ્રસંગે સાંજ સમાચાર પરિવારના શ્રીમતી પૂર્વીબેન પ્રદીપભાઈ શાહ, શ્રીમતી અનુજાબેન અંકુરભાઈ શાહ, માંડવી ચોક સંઘના પ્રમુખ જીતુભાઈ ચાવાળા, ઉપપ્રમુખ પંકજભાઈ કોઠારી સહિત અન્ય ભાવિકો ઉપસ્થિત રહ્યાં હતાં. 

Print