SANJ SAMACHAR | Date: 29-06-2024 Saturday | Rajkot |
www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net |
રાજકોટ,તા.29
પડધરી ખાતેના સરસ્વતી શિશુ મંદિરના સફળ સંચાલક એવા પ્રદ્યુમનભાઈ સાતાનો જન્મદિવસ છે.પડધરી બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા જન્મથી માતા-પિતા તથા કુટુંબના ધાર્મિક સંસ્કારોમાં ઉછરેલા પૂ. રેવાશંકરઅદા શાસ્ત્રીના વિદ્યાર્થી અને બી.કોમ એલ.એલ.બી. સુધી અભ્યાસ કરી સરકારી નોકરી પૂર્ણ કરી આજ પડધરી તથા ગુજરાતની અનેકવિધ સામાજિક ધાર્મિક સેવાભાવી સંસ્થા સાથે સંકળાયેલા છે. તેમજ પડધરી ગ્રામપંચાયતના ઉપસરપંચ 15 વર્ષ સુધી સભ્ય અને વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ કારોબારી સભ્ય રહી ચૂક્યા છે. તેમના જન્મદિવસની નંબર 9428213205 પર શુભકામના મળી રહી છે