![]() |
![]() SANJ SAMACHAR | Date: 28-06-2024 Friday | Rajkot |
|
જામનગર તા.28
જામનગર શહેરના રાજપાર્કમાં ઘરે ફર્નીચરનું કામ કરવા માટે આવતો શખસ કબાટમાંથી રોકડ રૂપિયા અને સોનાની વીંટીઓની ચોરી કરી જતાં પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લઈને ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો છે. રીમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે.
શહેરના વિકટોરીયા પુલ પાસે, રાજપાર્ક, રંગમતી પાર્ક પંચમુખી હનુમાનદાદાના મંદીરની સામેની ગલીમાં રહેતા મીલાપ ચેતનભાઈ ચૌહાણ (ઉ.વ.28) નામના યુવાના મકાનમાં કબાટમાંથી રોકડ રૂ.15 હજાર અને રૂ.15 હજારની કિંમતના બે સોનાની વીંટી મળીને કુલ રૂ.30 હજારના મુદામાલની ચોરી થઈ હતી.
જે અંગેની નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરીને ગણતરીની કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો છે. જેમાં ઘરે ફર્નીચરનું કામ કરવા આવતો શખસ શંકાના દાયરામાં હોવાથી તેના ઉપર વોચ ગોઠવી હતી અને તે જામનગર છોડવાની ફીરાકમાં હોવાની બાતમીના આધારે પોલીસે સાત રસ્તા જ્યાં ટ્રાવેલ્સો ઉભી રહે છે. ત્યાંથી જમન જેરામભાઈ રાઠોડ પ્રજાપતિ કુંભારને ઝડપી લીધો હતો. તેના કબ્જામાંથી ચોરીનો મુદામાલ કબ્જે કર્યો છે.