www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

TRP ગેમ ઝોનના 27 મૃતકોના પરિજનોને પૂ.મોરારી બાપુ તરફથી હનુમાનજીની પ્રસાદ રૂપી સહાય મળી ગઈ


સાંજ સમાચાર

રાજકોટ :

25 મેના રોજ રાજકોટમાં મોકાજી સર્કલ પાસે આવેલ ટી.આર.પી ગેમ ઝોનમાં ભીષણ આગ લાગવાને કારણે 27 લોકોના દુ:ખદ અવસાન થયા હતા. ત્યારબાદ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે દિવંગતોના પરિવારજનો માટે આર્થિક સહાયની જાહેરાત કરી હતી. અને આ સાથે પૂજ્ય મોરારી બાપુએ આ તમામ પીડિત પરિવારજનોના દુ:ખમાં સહભાગી થયા અને શ્રી હનુમાનજી ની પ્રસાદ રૂપી 15000 ની રોકડ સહાય તથા શાલ મોકલવામાં આવી હતી. 27 મૃતકોમાં રાજકોટ ઉપરાંત ધ્રોલના પણ રહેવાસીઓ હતા

તો એક ઉત્તર પ્રદેશનો પણ પરિવાર હતો. આ તમામ લોકોને પૂજ્યશ્રી જલારામ બાપા પરિવારના ભરતભાઈ દ્વારા પ્રસાદરૂપી સહાય પહોંચાડવા આવી હતી. આ ઉપરાંત દરેક વ્યક્તિ માટે પૂજ્ય બાપુએ પ્રાર્થના કરી હતી. આ તમામ મૃતકોના પરિવારજનોનો ભરતભાઈ તથા તેમની ટીમ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમના નિવાસે પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.

 

Print