www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ગ્રેટર નોઇડામાં નવા બિલ્ડીંગની દિવાલ પડતા ત્રણ બાળકના મોત


દુર્ઘટનામાં આઠ બાળકો દટાયા : પાંચને હોસ્પિટલમાં ખસેડાયા

સાંજ સમાચાર

નવી દિલ્હી, તા. 29
નવી દિલ્હીના ગ્રેટર નોઈડામાં એક દિવાલ ધસી પડવાની ઘટનામાં ત્રણ બાળકોના મૃત્યુ થયા હતા. જ્યારે અન્ય પાંચ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. કુલ 8 બાળકો આ દુર્ઘટનાનો શિકાર થયા હતા.

ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે ધસી આવ્યો હતો અને મૃતકોના શબ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા હતા.  સેન્ટ્રલ નોઈડાના એડિશનલ ડીસીપી હિરદેશ કઠેરિયાએ કહ્યું કે સૂરજપુરની હદમાં આવેલા ખોદના ગામમાં નિર્માણાધીન મકાનની દિવાલ ધસતાં સગીરનો પરિવાર અને તેના સંબંધીના 8 બાળકો કાટમાળ નીચે દટાઈ ગયો હતો જેમાં 3 બાળકોના દુ:ખદ મૃત્યુ થયા હતા. અન્ય બાળકોની સારવાર ચાલી રહી છે. આ મામલે કાર્યવાહી કરવી જરૂરી થઇ ગઈ છે.   

આ ઘટના સૂરજપુર ક્ષેત્રના ખોદના ગામની હદમાં બની હતી. અહીંના રહેવાસી સગીરના જ પરિવાર અને તેમના સંબંધીઓના 8 બાળકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા.

ઘટનામાં ઘાયલોની ઓળખ આયશા (ઉ.16), હુસૈન (ઉ.5), વાસીલ (ઉ.11), સોહના (ઉ.12) અને સમીર (ઉ.15) તરીકે થઇ હતી. જ્યારે મૃતકોની ઓળખ અહદ (ઉ.4), આદિલ (ઉ.8) અને અલફિઝા (ઉ.2) તરીકે થઇ હતી.  

 

Print