![]() |
![]() SANJ SAMACHAR | Date: 01-07-2024 Monday | Rajkot |
|
ખંભાળિયા સાથે સમગ્ર દેશમાં વૃક્ષારોપણની ઝુંબેશ વ્યાપક પ્રમાણમાં જોવા મળી રહી છે. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા "એક પેડ માં કે નામ" અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત ખંભાળિયાના એસ.ટી. બસ સ્ટેશન ખાતે ડેપો મેનેજર મિલનભાઈ રાઠોડ તેમજ સ્ટાફના સહયોગથી આ પરિસરમાં 25 જેટલા વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આટલું જ નહીં, આ તમામ વૃક્ષોનું જતન કરવા માટેનો પણ સંકલ્પ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણી, ઈન્દ્રજીતસિંહ પરમાર સહિતના કાર્યકરો જોડાયા હતા. આ આયોજન માટે ડેપો મેનેજર મિલન રાઠોડ સાથે સ્ટાફે નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.
(ફોટો:- કુંજન રાડિયા)