![]() |
![]() SANJ SAMACHAR | Date: 01-07-2024 Monday | Rajkot |
|
જામનગર તા.1
શિરડી સાંઇબાબા મંદિર ગાંધીનગર તથા રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા દર મહિને જામનગરમાં આંખના રોગો માટેનો કેમ્પ વિનામુલ્યે યોજવામાં આવે છે. જે કેમ્પ આવતીકાલે 2-7-2024 ને મંગળવારના રોજ શિરડી સાંઇબાબા મંદિર ગાંધીનગર ખાતે યોજાશે.
આ કેમ્પમાં આંખના દર્દીઓને તપાસી જરૂરી સુચના તેમજ દવાઓ આપવામાં આવે છે. ઉપરાંત જે દર્દીઓનું આંખનું ઓપરેશન કરાવવાની જરૂરિયાત હોય તેવા દર્દીઓને ટ્રસ્ટ દ્વારા બસમાં રાજકોટ હોસ્પિટલ ખાતે લઇ જઇ તેઓનું ઓપરેશન પૂર્ણ કરી દર્દીને જામનગર પરત મુકી જવા સુધીની સેવા ટ્રસ્ટ દ્વારા વિનામુલ્યે કરવામાં આવે છે.
આ કેમ્પ સવારે 9:30 થી બપોરે 12:30 વાગ્યા સુધી યોજવામાં આવશે. કેમ્પને લગતી વધુ માહિતી માટે ટ્રસ્ટના પ્રમુખ કનકસિંહ જાડેજાનો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.