www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જેતલસરમાં યુવકે ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું


પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાયો

સાંજ સમાચાર

 રાજકોટ તા.1
જેતલસરમાં રહેતાં કપીલભાઈ બગડાએ ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા તેઓનાં પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.

બનાવની વિગત મુજબ જેતલસર ગામમાં ડેડરવારોડ આંબેડકરનગરમાં રહેતાં કપીલભાઈ મનસુખભાઈ બગડા (ઉ.વ.29) નામનો યુવક ગત 29/6/2024 ના રોજ સવારે પોતાનાં ઘરેથી કુદરતી હાજતે જવાનું કહી નિકળ્યો હતો. બાદ ત્યાં ગામમાં આવેલ વીઆઈટી કોલેજમાં જઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો. બાદ યુવકને જેતપુરમાં સંજીવની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બાદ વધુ સારવાર માટે જેતપુર સરકારી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો.

જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા યુવકનાં પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. બાદ યુવકના મૃતદેહનું ફોરેન્સિક પીએમ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. યુવક સેન્ટિગનું કામ કરતો હતો.મૃતક પાંચ ભાઈ અને એક ભાઈમાં ચોથા નંબરનો હતો. તેમજ તેઓને સંતાનમાં એક પુત્રી હોવાનું મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું. 

 

Print