www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ભાવનગરમાં ગુન્હાહિત કાર્યોને કાબુમાં કરી નગરજનોને ભયમુક્ત કરવા ‘આપ’ દ્વારા એસ.પી.ને આવેદન


સાંજ સમાચાર

(વિપુલ હિરાણી)
ભાવનગર, તા.29
છેલ્લા ઘણા સમય થી ભાવનગર શહેર ઘણી બધી પ્રકાર ના ગુન્હા ઓ નું મુખ્ય કેન્દ્ર બિંદુ બની ને સામે આવ્યું છે અને ઘણા બધા આર્થિક તેમજ શારીરિક પ્રકાર ગુનાઓ બની રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા પોલીસ વડા ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

આવેદનપત્રમાં  જણાવ્યું છે કે છેલ્લા ઘણા સમય થી ભાવનગર શહેરમાં અસામાજિક તત્વો દ્વારા સામાન્ય નગરજનો ની જમીન પર ગેરકાયદે કબજો અને ખોટા કાગળ અને બનાવટી પુરાવા ઉભા કરી ને તોડ કરવા માં આવે છે એમાં ઘણા બધા ગુન્હાહિત વિચારધારાના લોકો શહેર માં સક્રિય છે . છેલ્લા મહિનામાં ભાવનગર શહેર માં ડઝન કરતા વધારે ગંભીર પ્રકાર ના ગુન્હા જેવાકે ખૂન, ખૂન કોસિસ, ચોરી, લૂટનો પ્રયાસ, બળાત્કાર જેવા ગુન્હા હવે રોઝ છાપા માં નજરે ચડે છે.

ત્યારે નગરજનો એક પ્રકારના જંગલરાજ નો અહેસાસ કરે છે . સામાન્ય નાગરિકો ને ટ્રાફિક ના કાયદા ના ભંગ સમયે પણ પોલીસ જે કડકાઈ થી વર્તે છે અને સામાન્ય માનસ પાસે થી કોઈ દયા વગર ટ્રાફિક બ્રિગેડ ના કર્મચારી સખ્તાઈ અપનાવે છે ત્યારે અસામાજિક તત્વો બિન રોકટોક સટ્ટો, દારૂ નું વેચાણ, સ્પા ની આડમાં ફૂટન ખાના એ આજે શહેરમાં સામાન્ય થઇ ગયા છે. ઘણા વિસ્તારો માં દારૂ ના સ્ટેન્ડની વાત પણ આવે ત્યારે બહાર ની પોલીસ ની ટીમ આખા આખા ટ્રેલર પકડે ત્યારે આવા કૃત્યો પોલીસથી અજાણ હોય એ માનવું ખુબ અઘરું છે . અને જો આવા ગુન્હેગારો ને મદદ કરવા માં કોઈ રાજકીય કે તંત્ર નો માનસ સાથે સમ્મલિત હો તો એમની સામે પગલા લેવા જણાવ્યું છે સામાન્ય નાગરિક પાસે છેલ્લી આશા પોલીસ અને ન્યાયતંત્ર હોય છે. નાગરિકો ને ભયમુક બનાવો એવી આપ પાસે આશા નગરજનો રાખે છે. 
આમ આદમી પાર્ટી ના પ્રદેશ સેક્રેટરી મહિપાલસિંહ ઝાલા ની આગેવાની નીચે આવેદન પત્ર આપવામાં આવેલ.

Print