![]() |
![]() SANJ SAMACHAR | Date: 01-07-2024 Monday | Rajkot |
|
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ T20 વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્યો માટે પુરસ્કારોની જાહેરાત કરી છે. બાર્બાડોસમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને સાત રને હરાવીને બીજી વખત આ ટૂર્નામેન્ટનો ખિતાબ જીત્યો હતો.
રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતે 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. 11 વર્ષમાં ભારતીય ટીમનું આ પહેલું ICC ટાઇટલ છે.
જય શાહે ઈનામની જાહેરાત કરી : BCCI સેક્રેટરી જય શાહે T20 વર્લ્ડ કપની વિજેતા ટીમને 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. જય શાહે X પર લખ્યું, ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024ની વિજેતા ભારતીય ટીમ માટે 125 કરોડ રૂપિયાની ઈનામી રકમની જાહેરાત કરતા મને આનંદ થાય છે.
ટીમે સમગ્ર ટુર્નામેન્ટમાં અસાધારણ પ્રતિભા, નિશ્ચય અને કૌશલ્યનું પ્રદર્શન કર્યું છે. આ ઉત્કૃષ્ટ સિદ્ધિ માટે તમામ ખેલાડીઓ, કોચ અને સપોર્ટ સ્ટાફને અભિનંદન.