![]() |
![]() SANJ SAMACHAR | Date: 25-06-2024 Tuesday | Rajkot |
|
રાજકોટ,તા.25
શ્રી બાલાજી હનુમાનજી મંદિર ખાતે આજના મંગળવારના પવિત્ર દિવસે મહાપ્રતાપી શ્રી બાલાજી હનુમાનજી દાદાને મુખવાસનો અદભુત અલૌકિક અને દિવ્ય શણગાર કરાયો છે, આ અદ્દભુત શણગાર આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, જેના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી છે.
જેમાં વરિયાળી, ધાણાદાળ, તલ, એલચી વગેરેનો સમાવેશ કરાયો છે, આ સાથે બાલાજી દાદાને ધ્વજારોહણ કરાયું હતું, આજે સાંજે 7.15 કલાકે રાજોપચાર પદ્ધતિથી થતી દાદાની સંધ્યા આરતીમાં હજારો ભક્તો દાદાના દર્શન આરતીનો દિવ્ય લાભ લેશે.