SANJ SAMACHAR | Date: 01-07-2024 Monday | Rajkot |
www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net |
વેરાવળ,તા.1
તા.30 ના રવિવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નો ” કી બાત” કાર્યક્રમ વેરાવળ-પાટણ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખના નિવાસ સ્થાને નિહાળવા માટે બ્હોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહેલ હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નો ” કી બાત” કાર્યક્રમ નું લાઈવ પ્રસારણ વેરાવળ પાટણ શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ ઉષાબેન કુસકીયાના ઘરે નિહાળવાનું આયોજન કરવામાં આવેલ માહિતી અને માર્ગદર્શન આપેલ જેમાં કેરળમાં આ ઋતુમાં છત્રીઓ બનાવવાનું મહિલાઓ દ્વારા કામગીરી કરવામાં આવે છે. લોકલ ફોર વોકલ આ છત્રીઓનું વિતરણ કરવામાં આવે છે. આવી ઘણી બધી રસપ્રદ માહિતીઓ આપેલ હતી.
આ કાર્યક્રમમાં વિવિધ વોર્ડમાંથી મહિલા અગ્રણીઓ હાજર રહેલ જેમાં મહામંત્રી સવિતાબેન મહેતા, ભાનુબેન તોતીયા, મિતલબેન પંડ્યા, આરતીબેન વણિક, આરતીબેન વણિક, રસીલાબેન વાઘેલા, નાથીબેન છેલાણા, જાગુબેન, સવિતાબેન સાંખલા, પાર્વતીબેન મહેતો, જ્યોતિબેન, જનકબેન વિગેરે મહિલાઓ હાજર રહેલ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને પ્રદેશની સૂચના મુજબ ” પેડ માં કે નામ” અંતર્ગત માં ના નામ ઉપર વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે. (તસ્વીર મીલન ઠકરાર - વેરાવળ)