www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વિરપુર જૂથ સેવા સહકારી મંડળીના પ્રમુખ તરીકે ધામેલીયા, ઉપપ્રમુખપદે ડોબરીયા ચૂંટાયા


સાંજ સમાચાર

વિરપુર,તા.25
વિરપુર ખાતે આવેલ વિરપુર, કાગવડ,થોરાળા એમ ત્રણ ગામની ખેડૂતો માટેની વિરપુર જૂથ સેવા સહકારી મંડળીમાં પ્રમુખ ઉપપ્રમુખ બિનહરીફ ચૂંટાયા હતા જેમાં પ્રમુખ તરીકે ગોરધનભાઈ ધામેલીયા અને ઉપપ્રમુખ તરીકે જનકભાઈ ડોબરીયાની નિયુક્તિ થઈ હતી.

ઉલ્લેખનીય છેકે ગોરધનભાઈ ધામેલીયા વિરપુર જૂથ સેવા સહકારી મંડળીના તા.09-07-1993 થી આજ સુધી સુકાન સંભાળે છે, ગોરધનભાઈ ધામેલીયા છેલ્લા 31 વર્ષથી વિરપુર જૂથ સેવા સહકારી મંડળીમાં પ્રમુખ તરીકે કાર્યરત છે અને મંડળીના વિકાસ માટે હંમેશા તત્પર રહે છે ત્યારે ફરી એક વખત પ્રમુખપદ માટે ચૂંટાયા હતા.ગોરધનભાઈ ધામેલીયાના કાર્યકાળ દરમીયાન મંડળીએ કરેલ પ્રગતીની જો વાત કરીએ તો વીરપુર જૂથ સેવા સહકારી મંડળી, તાલુકો જેતપુર જીલ્લો રાજકોટ ની વ્યવસ્થા સમિતિની ચુંટણી 2024-29 ના પાંચ વર્ષના કાર્યકાળ માટેની ચુંટણીમાં 15 ઉમેદવારો ને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા, વીરપુર જૂથ સેવા સહકારી મંડળીના કાર્યક્ષેત્ર માં વિરપુર, કાગવડ, તથા થોરાળા ગામ ના અંદાજે 1500 થી પણ વધારે ખેડૂત સભાસદો મંડળી સાથે જોડાયેલા છે, મંડળીનો વાર્ષિક નફો 31-03-2024 નો રૂ. 40/- લાખ થયેલ છે. મંડળી તરફથી ખેડૂત સભાસદોને છેલ્લા 10 વર્ષ થી 15% મુજબ ડીવીડન્ટ ની રકમ ચૂકવામાં આવે છે.

જેની અંદાજીત રકમ રૂ. 12/- લાખ થાય છે.મંડળી તરફથી ધિરાણ મેળવતા સભાસદોનો રૂ. 12/- લાખનો અકસ્માત વીમો લેવામાં આવેલ છે. જેનું વીમા પ્રીમીયમ મંડળી દવારા ચૂકવામાં આવે છે. જેની રકમ રૂ. 4/- લાખ જેવી છે. આ ઉપરાંત વધારના લાભ તરીકે રાજકોટ ડીસ્ટ્રીક બેંક તરફ થી રૂ. 10/- લાખ તથા રાજકોટ દુધ સંઘ તરફથી રૂ. 10/- લાખ નો અકસ્માત વીમો ચૂકવામાં આવે છે.

Print