www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ચોટીલાના પાડોશીઓના માનસિક ત્રાસથી મહિલાએ એસિડ પીધું


સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 1
સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, પાડોશી વિરૂદ્ધ ફરિયાદ ચોટીલાના વૃંદાવન સોસાયટી રહેતા પરિવારને પાડોશીઓ દ્વારા અવારનવાર પરેશાન કરી માનસિક ત્રાસ આપતા હોવાથી એસિડ પી જતા મહિલાનું મૃત્યુ થયું હતું તેની ફરિયાદ મહિલાના પિતા નાનજીભાઈ પરમાર દ્વારા ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે કરાઈ હતી. ચોટીલામાં વૃંદાવન સોસાયટીમાં રહેતા વિછીયા તાલુકાના મોટા હડમતીયા ગામના જયંતીભાઈ કાળુભાઈ ચાવડા અને તેમના પત્ની અનિતાબેન તેમના પરિવાર સાથે વૃંદાવન સોસાયટીમાં અનિતાબેનના પિતાનું માલિકીના મકાનમાં રહે છે.

તેમની પાડોશમાં ડાયાભાઈ ભાણાભાઈ વાઘેલા અને કેતનભાઇ વિનુભાઈ વાઘેલા રહે છે. તેઓ વારંવાર અનિતાબેન સાથે ઝઘડો કરી માનસિક ત્રાસ આપતા હતા. તા.26 જૂન બુધવારના રોજ ડાયાભાઈ ભાણાભાઈ વાઘેલા તેમના પત્ની કોમલબેન અને કેતનભાઇ વિનુભાઈ વાઘેલા ઝઘડો કરી માનસિક ત્રાસ આપી અપમાનિત કરતા અનિતાબેનને લાગી આવતા તેઓએ ઘરમાં પોતાની જાતે એસિડ પી જતા પરિવારને જાણ થઇ હતી. આથી તેઓએ ચોટીલા હોસ્પિટલ બાદ રાજકોટ ખાતે દાખલ કરાયા હતા. પરંતુ સારવાર દરમિયાન અનિતાબેનનું મૃત્યુ થતાં  અનિતાબેનના પિતા નાનજીભાઈ વીરાભાઇ પરમારએ અનિતાબેનના પાડોશીને વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

Print