![]() |
![]() SANJ SAMACHAR | Date: 01-07-2024 Monday | Rajkot |
|
વેરાવળ, તા.1
ગીર સોમનાથ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા સેવાસદનના કોન્ફરન્સ હોલ, ઈણાજ ખાતે યોજાયો હતો. જેમાં જિલ્લાભરમાંથી વિવિધ વિભાગોને લગત વણઉકલાયેલ પ્રશ્ર્નો સાથે અરજદારો ઉપસ્થિત રહ્યાં હતાં.
જિલ્લાના અરજદારોએ મહેસૂલ શાખા, જમીન શાખા, આવાસ યોજના, માર્ગ મકાન વિભાગ, જમીન માપણી, ગામતળ દબાણના પ્રશ્ર્નો, બાબતે રજૂઆત કરી હતી. આ રજૂઆત પ્રત્યે હકારાત્મક અભિગમ અપનાવી જિલ્લા કલેક્ટરે સંબંધિત વિભાગના અધિકારીઓને જે-તે પ્રશ્ર્નો સત્વરે ઉકેલાય તે માટેના જરૂરી માર્ગદર્શન સાથે સૂચના આપી હતી.
સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી એન.એમ. તરખાલા, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર સુનિલભાઈ મકવાણા, મામલતદાર સર્વ આરઝૂ ગજ્જર, એન.જી.રાદડીયા સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.