![]() |
![]() SANJ SAMACHAR | Date: 01-07-2024 Monday | Rajkot |
|
જામનગર તા.1
જામનગર જિલ્લાના જામજોધપૂરમા ઘરેની નીકળી ગયેલા યુવાને પોતાની જાતે છરીના ઘા મારી આત્મહત્યા કરી છે. જામજોધપુર રેલ્વે સ્ટેશન સામે આવેલ સોમનાથ સોસાયટી રોડ પાસેથી લોહીલુહાણ હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવાને લગ્ન સબંધ સહિતની બાબતોની ઉપાધિથી કંટાળી જઇ છરીના ઘા મારી પોતાની જાતે જીવનલીલા સંકેલી લીધાનું બહાર આવ્યું છે.
આ અંગેની પોલીસમાથી જાણવા મળતી વિગત એવી છે કે સામુભાઇ ઉર્ફે સામો રણમલભાઇ હરીયાણી (ઉ.વ.32 રહે.રેલ્વે સ્ટેશનની સામે સોમનાથ સોસાયટી જામજોધપુર)એ પોતાની જાતે છરી ના ઘા ઝીંકી આત્મહત્યા કરી લીધાનું સામે આવ્યું છે. સામુભાઇ ઉર્ફે સામો છેલ્લા દોઢેક મહીનાથી ગુમસુમ રહેતા હતા.
પોતાના તથા ભાઇ બહેનના લગ્ન સબંધ થતા ન હતા અને પોતાના ઘરમા એક બહેન માનસીક રીતે બીમાર પણ હોય આ બધી ચિંતા યુવાનને કોરી ખાતી હતી. જેને લઇને ચીંતા મા પોતાની રીતે ઘરેથી છરી સાથે સામુભાઇ નીકળી ગયા હતા.
આ દરમીયાન રેલ્વે સ્ટેશન સામે સોમનાથ સોસાયટી રોડ પર પહોચી પોતાની જાતે ગળાના ભાગે છરી મારી જીવનલીલા સંકેલી લીધી હતી.જે અંગેની સમગ્ર વિગતો આલુબેન રણમલભાઇ હરીયાણીએ પોલીસ સમક્ષ વર્ણવી હતી.