www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

તારા પિતા પાસેથી પૈસા લેતી આવ કહી સાસરિયાનો ત્રાસ


રેલનગરમાં રહેતી પરિણીતાએ તેના પતિ, સાસુ અને નણંદ સામે નોંધાવી ફરિયાદ

સાંજ સમાચાર

રાજકોટ તા.25
રેલનગરમાં રહેતી પરિણીતાએ તેના પતિ, સાસુ અને નણંદ સામે ફરિયાદ નોંધાવી છે.તારા પિતા પાસે પૈસા લેતી આવ કહી પરિણીતા પર શારિરીક માનસિક ત્રાસ ગુજારતા હતા. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત વિગત મુજબ માવતરે રહેતી વ્રુતિબેન પ્રિયેશભાઇ દવે (ઉ.વ.23,શ્રીનાથજી પાર્ક-3, રેલનગર રાજકોટ) એ તેનાં પતિ પ્રિયેશ દવે, સાસુ આશાબેન દવે તથા નણંદ રિધ્ધિબેન મહેતા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે  મારા લગ્ન 16/05/2022 ના રોજ રાજકોટમાં કલ્યાણપાર્ક સોસાયટીમાં રહેતા પ્રિયેશ નરેન્દ્રભાઈ દવે સાથે થયા હતા.

લગ્ન બાદ હું મારા સાસુ આશાબેન નરેન્દ્રભાઈ દવે તથા નણંદ રિધ્ધીબેન કેવલભાઈ મહેતા સાથે સંયુકત પરીવારમા એકાદ વર્ષ સાથે રહેલ.પતિ ડ્રાઇવીંગનો વ્યવસાય કરે છે. લગ્ન બાદ બે મહીના મારો ઘરસંસાર સારી રીતે ચાલેલ બાદ મને ખબર પડેલ કે મારા પતિ ઉપર તો લેણુ છે. જેથી મે મારા પતિને કહેલ કે લેણ શેનુ છે? તો મારા પતિએ કહેલ કે મારે ધંધામા નુકશાન થયેલ છે.

જેથી હું અવાર નવાર આ લેણુ કેમ થઇ થયેલ છે. તે બાબતે પુછતાં પતિ મારી સાથે બોલાચાલી કરી ઝઘડો કરતા અને મારા સાસુ પણ કહેતા કે તારે ઘરના કામકાજથી મતલબ રાખવાનો અને કામકાજની બાબતમાં મેણા ટોણા મારી મને માનસિક ત્રાસ આપતા અને મારી નણંદ નાની નાની વાતમાં મારી સાથે જગડો કરતાં. હું  નોકરી કરતી એના પૈસા પણ મારા સાસુ તથા મારા પતિ લઈ લેતા હતાં.

હું જ્યારે મારા મમ્મીના ઘરે જતી ત્યારે મારા પતિ તથા સાસુ તથા નણંદ મને કહેતા કે તુ તારા માવતરે કહેજે કે અમને પૈસા આપે. અને મારી સગાઈ અને લગ્ન વચ્ચેના સમય ગાળામાં મારા પતિએ મારા પિતા પાસેથી 11 લાખ ધંધામાં અર્ટીકા ગાડી લેવા માટે લીધેલ હતા. મારા પિતા પાસેથી પૈસા લઇને પાછા ન આપતા અને કહેતા કે હજુ તારા પિતા પાસેથી પૈસા લઇશુ અને પાછા નઈ આપીયે એવુ સંભાળાવીને મને માનસિક ત્રાસ આપતા.

મને લગ્નમાં આપેલા ઘરેણા પણ મારા પતિએ વેચી નાખેલ છે. મારા પતિને દેણું વધી જતા અને મારી સાસુ તથા નણંદના ત્રાસ થી અમે અલગ રહેવા જતા રહેલ. અમે બંને 5તિ પત્નિ આઠ મહિના અલગ રહેલ બાદ તા.03/03/2024 ના રોજ લેણદારનો ત્રાસ વધી જતા મારા પતિ મને એકલી મુકીને જતા રહેલ. મે મારા પતિ પ્રિયેશને ફોન કરતા ફોન ઉપાડેલ નહી અને આજ દિન સુધી મારા પતિ, સાસુ તથા સસરા મને તેડવા આવેલ નથી. આ અંગે પરિણિતાએ તેના પતિ, સાસુ અને નણંદ સામે શારિરીક માનસિક ત્રાસ આપ્યાં અંગેની ફરિયાદ નોંધાવી હતી. 

Print