![]() |
![]() SANJ SAMACHAR | Date: 01-07-2024 Monday | Rajkot |
|
રાજુલા તાલુકાના ભેરાઈ ગામે સાકરીયા હનુમાનદાદા ખાતે પ્રોજેકટ હરિત અંતર્ગત સી.એસ.પી.સી. સંસ્થાના સહયોગથી પી.કે.મિશ્રા અને શૈલેન્દ્ર ગુપ્તાના હાથે નવા ચેકડેમનુ લોકાર્પણ કરવામાં આવ્યું.જેનો ફાયદો આવનારા સમયમાં લોકોને મળતો થશે તેવુ સરપંચ દ્વારા જણાવેલ.
ચેકડેમ લોકાર્પણ કાર્યક્રમમા ભેરાઈ ગામના યુવા સરપંચ તથા ઉપસરપંચ, સભ્યઓ,સાકરીયા હનુમાનદાદા મંદિરના મહંત તથા પી.કે.મિશ્રા,શૈલેન્દ્ર ગુપ્તા,અનુરાગભાઈ,ગૌતમભાઈ,અતુલભાઈ રામ,બાબુભાઈ ડી.રામ,સુમરાભાઈ સાદુલભાઈ, ભીખાભાઈ, ડાયાભાઈ, જેઠુરભાઈ, રાજુભાઈ, ભીમાભાઈ, મહેશભાઈ, સી.એસ.પી.સી. સ્ટાફ તેમજ ગામના યુવાનો અને વડીલો હાજર રહ્યા હતા.