![]() |
![]() SANJ SAMACHAR | Date: 01-07-2024 Monday | Rajkot |
|
જામ ખંભાળિયા, તા. 01
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા રવિવારે 111 મી વખત "મન કી બાત" કાર્યક્રમ તેમજ "એક પેડ માં કે નામ" વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત ખંભાળિયા તાલુકા અનુસુચિત જાતિ મોરચા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીના માર્ગદર્શન હેઠળ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ લખુભાઈ ચાવડા તેમજ ટીમ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં પ્રકાશભાઈ ચાવડા, રવિભાઈ નકુમ સહિતના યુવાનો અને મહિલા કાર્યકરો પણ જોડાયા હતા.
(ફોટો: કુંજન રાડિયા)