www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જસપરા-માંડવા સિંચાઈ યોજનાની મુલાકાત લેતા મંત્રી કુંવરજી બાવળીયા


સાંજ સમાચાર

(વિપુલ હિરાણી દ્વારા) 
ભાવનગર,તા.29
રાજયના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ આજે તેમની ભાવનગર જિલ્લાની મુલાકાત દરમિયાન તળાજા તાલુકામાં આવેલી જસપરા-માંડવા સિંચાઈ યોજનાની મુલાકાત લીધી હતી.આ વેળાએ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર એ. એમ. બાલધીયાએ જસપરા-માંડવા ગામના આસપાસના ગામોને મળતા સિંચાઈના પાણી અંગે મંત્રીને વાકેફ કર્યાં હતા તેમજ જે ગામો પાણીથી વંચિત છે તેવા ગામોને સિંચાઈનું પાણી મળી રહે તેવા પ્રયાસો હાથ ધરવા મંત્રીએ જરૂરી સુચનો કર્યાં હતાં.  

Print