![]() |
![]() SANJ SAMACHAR | Date: 26-06-2024 Wednesday | Rajkot |
|
જામનગર તા.26
જામનગર શહેરમાં મચ્છરનગર વિસ્તારમાં બુધવાર ગુજરી બજાર બંધ કરવા કોર્પોરેટરોની કમિશનરને રજૂઆત કર્યા પછી આજે એસ્ટેટ શાખાની ટીમેં પોલીસ બંદોબસ્ત સાથે બજાર ભરવા જ દીધી ન હતી.ગુર્જરી બજાર બંધ રહેવા પામી હતી.
મહાનગરપાલિકાના વોર્ડ 2માં મચ્છરનગર વિસ્તારમાં દર બુધવારે ગુર્જરી બજારના ભરાતી હતી.જેના લીધે સ્થાનિક રહેવાસીઓમાં ભારે મુશ્કેલી મુકાતા હતાં અને ગુર્જરી બજારના લીધે ટ્રાંફિક સમશ્યા, ચિલ ઝડપ, આવારા તત્વોનો ત્રાસ,મોબાઈલ ચોરી જેવા કિસ્સાઓ વધ્યા હતા.તેને લઈ સ્થાનિક રહેવાસીઓએ કોર્પોરેટર ને રજૂઆત કરી હતી
.જેથી ચારેય કોર્પોરેટર કમિશનરને લેખિતમાં રજુઆત કરી હતી. આ ગુર્જરી બજાર બંધ કરવા રજુઆત કરી હતી જેને લઈ મહાનગરપાલિકાના કમિશનરની સૂચનાથી એસ્ટેટની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી હતી. બુધવારી બજાર ભરાઈ તે પહેલા સ્થળ ઉપર બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.જેથી ગુર્જરી બજાર બંધ રહેવા પામી હતી.