www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રણજીત સાગર અને રણમલ તળાવમાં નવા નીરની આવક શરૂ


સાંજ સમાચાર

જામનગર અને આસપાસના વિસ્તારોમાં આજે થયેલા વરસાદને પગલે જામનગર શહેરની જીવદોરી ગણાતા રણજીતસાગર ડેમમાં અઢી ફૂટ જેટલું નવું પાણી આવ્યું હતું. જેને પગલે રણજીતસાગર ડેમની જળસપાટી વધીને 19 ફૂટ થઇ હતી. આ ઉપરાંત શહેરની મધ્યમાં આવેલા રણમલ તળાવમાં પણ ધીમીધારે નવા પાણીની આવક થતી જોવા મળી હતી. (તસ્વીર: હિતેષ મકવાણા)

Print