![]() |
![]() SANJ SAMACHAR | Date: 26-06-2024 Wednesday | Rajkot |
|
નવી દિલ્હી, તા.26
ગુજરાત સહિત ભારતમાં ચોમાસના પગરવની સાથે હવે દેશભરમાં વરસાદની પેટર્નમાં મોટો ફેરફાર થયો છે. વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર, ઇસરો, તિરુવનંતપુરમની સ્પેસ ફિઝિક્સ લેબોરેટરીના વૈજ્ઞાનિકોએ સંશોધન બાદ દાવો કર્યો છે કે, પ્રિ-મોન્સુન સિઝનમાં વરસાદમાં ઘટાડો થયો છે.
સંશોધન મુજબ બંગાળની ખાડી અને અરબી સમુદ્રના વિસ્તારોમાં સરેરાશ વાર્ષિક 1.5 મીમી વરસાદ અને ઉત્તર પૂર્વ ભારતમાં 1 મીમી પ્રતિદિન વરસાદનો ઘટાડો થયો છે.
સંશોધકોએ વર્ષ 2000-2019 ની વચ્ચેના હવામાન પરિવર્તનને કારણે ચોમાસા પહેલાની ઋતુમાં (માર્ચ, એપ્રિલ, મે) વરસાદમાં થતા ફેરફારોનો અભ્યાસ કર્યો છે. આ સંશોધન નેચર સાયન્ટિફિક રિપોર્ટમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે.
ઇસરોના સંશોધન મુજબ બંગાળની ખાડી, મ્યાનમારનો કિનારો, પૂર્વોત્તર ભારત અને બાંગ્લાદેશમાં ચોમાસા પૂર્વેની મોસમ દરમિયાન દરરોજ 6-10 મીમી વરસાદ નોંધાયો હતો. મે મહિનામાં આ વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો પરંતુ હવે તેમાં મોટો ઘટાડો નોંધાઈ રહ્યો છે.
બંગાળની ખાડી અને અરબી સમુદ્રના વિસ્તારોમાં ભારે વરસાદના દિવસોની સંખ્યામાં વાર્ષિક 3 ટકાનો ઘટાડો થયો છે. અરબી સમુદ્રના લક્ષદ્વીપ વિસ્તારમાં એપ્રિલ-મેમાં વરસાદમાં 2-10 ટકાનો ઘટાડો નોંધાયો છે.
ઉત્તર પશ્ચિમ ભારત (હરિયાણા, હિમાચલ પ્રદેશ, પંજાબ, રાજસ્થાન, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ વગેરે રાજ્યો) જ્યાં પ્રિ-મોન્સુન સિઝનમાં ઓછો વરસાદ પડ્યો હતો, ત્યાં દર વર્ષે 0.25 મીમી થી 0.5 મીમી પ્રતિદિન વધારાનો વરસાદ પડ્યો હતો. સામાન્ય રીતે આ વિસ્તારોમાં દરરોજ 2 મીમીથી ઓછો વરસાદ પડે છે. જ્યારે વરસાદી વિસ્તારોમાં ખાસ કરીને ઉત્તર-પૂર્વ ભારતમાં વરસાદ ઓછો થઈ રહ્યો છે.
અગાઉના અભ્યાસો દર્શાવે છે કે, જે વિસ્તારોમાં વધુ વરસાદ છે ત્યાં વધુ વરસાદ જોવા મળશે, જ્યારે સૂકા વિસ્તારો વધુ સૂકા રહેશે. પરંતુ ઈંજછઘ સંશોધકોનું આ સંશોધન આ હકીકતને નકારી કાઢે છે.
સંશોધકોએ અહેવાલ આપ્યો છે કે વાતાવરણમાં એરોસોલ કણોની વધુ માત્રાને કારણે વરસાદમાં ઘટાડો થયો છે. આ કણો માત્ર વાદળોની લાક્ષણિકતાઓને જ બદલી શકતા નથી, પરંતુ તેમની રચનાના દરને પણ ઘટાડે છે, જે વરસાદની વિસંગતતાઓ તરફ દોરી જાય છે. એરોસોલ્સ એ વાતાવરણમાં હાજર નાના કણો છે.
આ આબોહવા, હવામાન, આરોગ્ય અને ઇકોલોજી પર નોંધપાત્ર અસર કરે છે. કોલસો, તેલ અને ગેસ સળગાવવાથી આ કણો વાતાવરણમાં એકઠા થાય છે અને સિગારેટના ધુમાડા અને તમાકુને બાળવાથી પણ તે ઓછા થાય છે. એરોસોલ્સ ઉપરાંત ઓછું બાષ્પીભવન, ભેજમાં ઘટાડો એ પણ ઓછા વરસાદના કારણો છે.