www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

શ્રી કષ્ટભંજનદેવ દાદાને સુખડીનો અન્નકૂટ ધરાવાયો


સાંજ સમાચાર

રાજકોટ,તા.25
વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસ (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી તારીખ- 25-05-2024ને શનિવારના રોજ સવારે 5:45 વાગ્યે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આ પછી કોઠારી વિવેકસાગર સ્વામી દ્વારા સવારે 7.30 વાગ્યે શણગાર આરતી કરવામાં આવી હતી. જેનો લાભ હજારો ભક્તોએ લીધો હતો.

વડતાલધામ દ્રિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને પ્રિય 200 કિલો સુખડીના પ્રસાદનો અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો છે. આ સાથે જ દાદાને દિવ્ય વાઘાનો શણગાર તેમજ દાદાના સિંહાસનને રંગબેરંગી ફુલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો છે.

આજે દાદાને સિંહાસને કરાયેલાં શણગાર અને સુખડીના અન્નકૂટ અંગે કોઠારી વિવેકસાગર સ્વામીએ જણાવ્યું કે, વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં આજે દાદાને 200 કિલો સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે. ભક્તોને આ સુખડીનો પ્રસાદવિતરણ કરવામાં આવશે. દાદાના સિંહાસનને 100 કિલો ગુલાબના ફુલનો શણગાર કરવામાં આવ્યો છે. ગુલાબના ફુલ વડોદરાથી મંગાવવામાં આવ્યા છે. સંતો, પાર્ષદ અને ભક્તો સહિત 6 લોકોએ 4 કલાકની મહેનતે આ શણગાર કરવામાં આવ્યો છે. 

Print