![]() |
![]() SANJ SAMACHAR | Date: 01-07-2024 Monday | Rajkot |
|
સાવરકુંડલા,તા.1
સાવરકુંડલા લુહાર જ્ઞાતિ સમાજ વાડીમાં બિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ દેવનો 93 મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જેઠવદ આઠમ તારીખ 29 6 2024 શનિવારના રોજ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યો.
આ પ્રસંગે સવારે 9:00 કલાકે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવનું પૂજન ત્યારબાદ ધજા રોહણ ત્યારબાદ બપોરે 11:30 કલાકે લુહાર જ્ઞાતિ સમાજનું મહાપ્રસાદ ભોજનનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે સાવરકુંડલા શહેર તેમજ તાલુકાના લુહાર બંધુઓ સહભાગી બની પૂજન અર્ચન તેમજ મહાપ્રસાદ નું ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. ભોજન પ્રસાદ ના દાતાશ્રી સ્વ.વશરામભાઈ પીતાંબરભાઈ કારેલીયાના પુત્ર સ્વ. મગનભાઈ વશરામભાઈ કારેલીયા પરિવારે આ સમગ્ર કાર્યક્રમમાં સહભાગી બની હર્ષ ની લાગણી અનુભવી હતી