![]() |
![]() SANJ SAMACHAR | Date: 25-05-2024 Saturday | Rajkot |
|
જામનગર તા.25
જામનગર નજીક ઠેબા ગામ પાસે આવેલી નયનભાઈ હરીશભાઈ ચાંગાણી નામના ખેડૂતની વાડીની વાડમાં અરસામાં અકસ્માતે આગ લાગી હતી, અને કાંટા બાવળિયા, ઝાડી ઝાખરા વગેરે સળગવા લાગ્યા હતા.
આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને પાણીના એક ટેન્કર વડે આગને બુઝાવી હતી. સમયસર આગ કાબુમાં આવી જતાં આગ વધુ પ્રસરતી અટકી હતી.