![]() |
![]() SANJ SAMACHAR | Date: 01-07-2024 Monday | Rajkot |
|
(મિલાપ રૂપારેલ)
અમરેલી, તા.1
ખાંભાના ભગવતીપરામાં આવેલ બી.પી.એલ. વિસ્તારમાં રહેતા ધીરૂભાઇ સીદીભાઇ સોરઠીયા નામનાં વેપારી ગત તા.24 ના રોજ તેમના દિકરા રાહુલને એપેન્ડીક્સની સારવાર કરાવવા માટે થઈ સહપરિવાર કોડીનાર એડવાન્સ હોસ્પિટલમાં દાખલ કરેલ ત્યાં ગયેલ હોય, અને ત્યાં હોસ્પિટલમાં એક દિવસનું રોકાણ થયેલ હોય અને વેપારીના ઘરે તાળુ મારેલ હોય, અને કોઇ ઘરે હાજર હોઇ નહિ.
જેથી ગત તા.25 ના સવારના આશરે સાતેક વાગ્યાથી તા.27 ના સાંજના આશરે છ વાગ્યા દરમ્યાન વેપારીના ઘરમાં દરવાજાના નકુચા કોઇ અજાણ્યો ચોર ઇસમે તોડી નાખી ઘરમાં પડેલ તિજોરી તથા કબાટમાં રાખેલ રોકડ રકમ રૂપિયા 1,80,000 તથા સોના ચાંદીના ઘરેણા કિમત રૂપિયા 1,52,000 મળી કુલ રૂપિયા 3,32,000 ની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયાની ફરિયાદ નોંધાય છે.
આપઘાત
લીલીયા તાલુકાના હાથીગઢ ગામે રહેતા વનરાજભાઇ નાનજીભાઇ માળવીયા નામનાં 61 વર્ષિય ખેડુતના ભાઇ કાળુભાઇ નાનજીભાઇ માળવીયા (રહે.હાથગઢ) વાળા પોતાનું મોટર સાયકલ નં.ૠઉં-27-અક 1844 નું ચલાવીને હાથીગઢથી લીલીયા મુકામે ક્રેડીટ કિશાન મંડળીમાં પૈસા ઉપાડવા ગયેલ અને મંડળીના રૂપિયા લઇને ઘરે પરત આવતા હોય તે દરમ્યાન ગત તા.28ના 11/30 વાગ્યાના સમય પહેલા કોઇપણ સમયે કોઇ અજાણ્યા પીળા રંગના ડમ્પર વાહન ચાલકે તેનુ ડમ્પર વાહન પુરઝડપે અને બેફીકરાઇથી માનવજીંદગી જોખમાઇ તે રીતે ચલાવી કાળુભાઇ નાનજીભાઇ માળવીયાના મોટર સાયકલ સાથે અકસ્માત કરી સ્થળ ઉપર મોત નિપજાવી ડમ્પર લઇ નાસી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
ધારી તાલુકાના જીરા ગામે રહેતા મનિષભાઇ નંદલાલભાઇ બોરીસાગર નામનાં વેપારીના નાના ભાઇ રવિભાઇ નંદલાલભાઇ બોરીસાગર (ઉ.વ.32 રહે.જીરા) વાળાને હાલમાં કોઇ પણ કામ ધંધો ચાલતો ન હોય જેથી ઘરમાં આર્થિક સંકડામણ રહેતી હોય, જેથી જીંદગીથી કંટાળી ઝેરી ટીકડા પી’ જતા સારવારમાં દાખલ હોય જયાં સારવાર દરમ્યાન રવિભાઇ મરણ ગયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.