![]() |
![]() SANJ SAMACHAR | Date: 29-06-2024 Saturday | Rajkot |
|
(જગદીશ રાઠોડ દ્વારા),ઉપલેટા તા.29
રાજકોટ જીલ્લા ભાજપના મહામંત્રી રવિભાઈ માકડીયા એ એક નિવેદનમાં જણાવેલ છે તાજેતરમાં આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણ બચાવવા માટે એક પેડમાં કે નામ (વૃક્ષારોપણ અભિયાન શરૂ કર્યું ત્યારે હાલમાં ઓછા થતાજતા જંગલોને કારણે ભારત સહિત વિશ્ર્વના દેશોના પર્યાવરણને ખુબજ મોટા પાયે નુકસાન થયુ છે ઓછા અનિયમિત વરસાદ દુષ્કાળ અસહ્ય ગરમી વાવાઝોડા તેને કારણે માનવ પશુ પક્ષી સહિતની જીવ સૃષ્ટિને મોટાપાયે અસર થઈ ત્યારે વડાપ્રધાનના આ અભિયાનને આગળ ધપાવવા જીલ્લાભરના લોકોને વૃક્ષારોપણ કરવા અપીલ કરુ છુ.