www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વઢવાણ : સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવતા બાળકોને સ્કુલ બેગનું વિતરણ કરતા હીરજી રાઠોડ


સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ)   વઢવાણ,તા.1
ક્ધયા કેળવણી મહોત્સવ -2024 અંતર્ગત ગત તા.26ના રોજ શ્રી સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળા ભોયકામાં બાલવાટિકામાં પ્રવેશ મેળવતા બાળકોને સ્કૂલબેગ, સ્લેટ અને આંકની ચોપડી પૂર્વ આચાર્ય હીરજીભાઇ રાજાભાઇ રાઠોડ સાહેબે આપી શિક્ષણ પ્રત્યે એક ઉત્તમ ઉદાહરણ પુરૂ  પાડ્યું છે.રાઠોડ શિક્ષણ પ્રત્યે ગ્રામજનો અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. 

હીરજીભાઇ રાઠોડ આ શાળામાંથી નિવૃત થયા બાદ છેલ્લા 10 વર્ષથી નવાં શૈક્ષણીક વરસ માં  શાળામાં દાખલ થતાં  ધો.1માં નવા  ભૂલકાઓને ઉપર મૂજબની શૈક્ષણિક કિટ આપી,તેઓએ પોતાની શાળા અને શિક્ષણ તેમજ પોતાના વતન પ્રત્યેનો પ્રેમભાવ વ્યક્ત કરેલ  છે. 

Print