www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સલમાનખાન 58 વર્ષે પણ અપરિણીત કેમ? પિતા સલીમખાને કર્યો ખુલાસો


સલમાને પણ ભૂતકાળમાં એક મુલાકાતમાં કહેલું કે તેણે શા માટે લગ્ન નથી કર્યા

સાંજ સમાચાર

મુંબઈ: સુસ્મિતા સેન, તબ્બુ કે સલમાન ખાન બોલીવુડના એવા કલાકારો છે જે આજે 50 વર્ષ વટાવી ચૂકયા છતાં અપરિણીત છે. અગાઉ સલમાનખાને કહ્યું હતું કે, જયારે તેને કોઈ એવું મળશે જે એક તેના પહેલાં અને અંતિમ લગ્ન બની રહે. હવે સલમાનના પિતા સલીમ ખાનનો એક વિડીયો સોશ્યલ મીડીયા પર વાયરલ થઈ છે. જેમાં તે 58 વર્ષે કેમ કુંવારો છે, તેનાં કારણ વિશે વાત કરે છે.

આ વિડીયોમાં સલીમખાન કહે છે, ‘તે રિલેશનશીપમાં તો સરળતાથી આવી જાય છે, પણ એ લગ્ન કરતાં ડરી જાય છે. તેનો બહુ સરળ સ્વભાવ છે, તેથી તે ગમે તેનાથી બહુ જલ્દી આકર્ષિત થઈ જાય છે.

જો કે, એને ડર છે કે તે લગ્ન કરશે એ સ્ત્રી તેની માની જેમ પરિવારનું ધ્યાન રાખી શકશે કે નહીં. તેને એવી છોકરી જોઈએ છે જે પતિ અને ઘર માટે એની મા જેટલી જ સમર્પિત હોય. તેને બાળકો માટે ભોજન બનાવતાં આવડવું જોઈએ. તેમને તૈયાર કરે, અને તેમને હોમવર્ક પણ કરાવે. જો કે, એ આ સમયમાં મળવું સહેલું નથી.’

થોડાં વખત પહેલાં સલમાને રજત પવારને એક ઈન્ટરવ્યુમાં જણાવેલું, ‘કારણ કે, જયારે પહેલી તમારી લાઈફમાંથી જાય છે, તો તમે વિચારો છો કે એ એનો વાંક હતો, જયારે બીજી જાય, તો તમે વિચારો છો કે, એ કદાચ એનો વાંક હશે, ત્રીજા જાય તો પણ તમે વિચારો છો કે છોકરીનો વાંક હશે, પણ જયારે ચોથી છોકરી જાય ત્યારે તમે તમારી જાત પર શંકા કરો છો કે વાંક તમારામાં છે કે તેમનો હતો. આ જ મારો ડર છે, કે હું તેમને એ ખુશી અને જીવન નહીં આપી શકું.’

Print