રાજકોટ તા.15
ગુજરાત રાજય નાટય અકાદમી ગાંધીનગરના સહયોગથી સાજન ટ્રસ્ટ દ્વારા અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરી કાર્યક્રમ જુનાગઢ ખાતે યોજવામાં આવ્યો હતો.
‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરી’ કાર્યક્રમમાં ભકત કવિ નરસિંહ મહેતાના ભજનો સંદીપ પ્રજાપતિ, અનીલ પટેલ અને ઉર્વશી પંડયા દ્વારા રસપાન કરાવવામાં આવ્યું હતું.
તેમજ કથા બીજ, સ્ક્રીપ્ટ અને સંચાલન ગુણવંત ચુડાસમાએ કયુર્ં હતું. આ તકે મુકતાનંદ બાપુ ચાપરડા ઉપસ્થિત રહી સૌને આશીર્વાદ પાઠવ્યા હતા. તેમજ જુનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા ચેતનભાઈ ત્રિવેદી, પલ્લવીબેન ઠાકર કવિ મિલિન્દ ગઢવી, ધવલભાઈ વસાવડા, હેમંતભાઈ નાણાવટી, ઉર્વીશભાઈ વસાવડા, ખમીરભાઈ મજમુદાર, રાજુભાઈ ભટ્ટ, જયકિશનભાઈ દેવાણી, અમિષાબેન માકડ, વિપુલભાઈ ત્રિવેદી, નયન ભટ્ટ, મૃણાલીની ભટ્ટ (નાટયકાર દંપતિ) ઉપસ્થિત રહ્યા હતા. ધારા બુધ્ધદેવે ઉદઘોષક તરીકે કાર્યક્રમનું સંકલન કયુર્ં હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy