‘હીરામંડી’: વેબસીરીઝના દરેક સીનમાં ભણશાલીની ભવ્યતાનો સ્પર્શ પણ બધા પાત્રોને પૂરતો ન્યાય નહીં

India, Entertainment | 02 May, 2024 | 05:13 PM
સાંજ સમાચાર

મુંબઈ: હિન્દી સિનેમાના હાલના શો મેન તરીકે ઓળખાતા સંજય લીલા ભણસાલીની તવાયફોના જીવન પર આધારિત પ્રથમ વેબસીરીઝ ‘હીરામંડી-ધી ડાયમંડ બાઝાર’ નેટ ફિલકસ પરથી પ્રસારિત થઈ રહી છે. આ સીરીઝમાં ભણસાલીએ સમાજની મુખ્ય ધારાથી અલગ જીવતી તવાયફોને પ્રતિષ્ઠા, પ્રેમ અને સહાનુભૂતિ અપાવવાની કોશિષ કરી છે. પ્રથમ દોર પર શરૂ થતી વાર્તા મૂલત: આઝાદીની લડાઈમાં તવાયફોના ભુલાયેલા યોગદાનની છે. જેમાં ઈશ્ક, બદલા અને વિદ્રોહનો વધારે છે.

હીરામંડીની હજૂર મલ્લિકા જાન (મનિષા કોઈરાલા)નો પૂરી હીરામંડીમાં સિકકો ચાલે છે. મલ્લિકાની મોટી દીકરી બિબ્બો જાન (અદિતી રાવ હૈદર) હીરામંડીની શાન છે. નાની દીકરી આલમઝેબ (શરમિન સહગલ)ને તે કોઠા પર બેસાડવાની તૈયારીમાં છે.

વાર્તાનો વળાંક ત્યાં છે કે, બિબ્બોનો ખરો ઉદ્દેશ દેશને ગુલામીથી આજાદ કરાવવાનો છે. તો શેર શાયરીના શોખ રાખનારી આલમ આ તવાયફના ધંધામાં જ ઉતરવા નથી માગતી. બીજી બાજુ મલ્લિકાની મર્હુમ બહેન રેહાનાની દીકરી ફરીદન (સોનાક્ષી સિંહા) તેની મુશ્કેલી વધારે છે.

આ સિવાય મલ્લિકાની નાની બહેન વહીદા (સંજીદા શેખ) પક્ષ છે જે દરેક પગલે મલ્લિકાથી અપમાનિત થતી રહે છે. લજજો (રિચા ચઢ્ઢા) પણ છે. જે એક નવાબજાદાના પ્રેમમાં પડી છે.

હવે નવાબો, અંગ્રેજો અને આઝાદીના લડવૈયાઓની વચ્ચે ચાલતા સંઘર્ષમાં આ તવાયફોની જિંદગી શું વળાંક લે છે? શું તે તેમના ઉદ્દેશમાં સફળ થાય છે? તેની ખબર સીરીઝ જોયા પછી જ પડશે.

સીરીઝના વિઝયુઅલ અપીલની વાત કરીએ તો તેની ભવ્યતા ભણશાલીની ઓળખ છે અને આ છાપ ‘હીરામંડી’ના દરેક સીમમાં જોવા મળે છે. મોઈન બેગના ક્ધસેપ્ટ પર ભણસાલીએ પ્રોડકશન ડિઝાઈનર સુબ્રત ચક્રવતી, અમિત રે અને નામાંકીત ડીઓપી સુદીપ ચેટર્જી, મહેશ લિમયે, હ્યુસ્ટંગ મોહયાત્રાની સાથે મળીને જે શાનદાર દુનિયા રચી છે તેને જોઈને આંખો ચકિત થઈ જાય છે.

ભણશાલીની આ પ્રથમ વેબસીરીઝ છે અને તેમાં અનેક ટ્રેક, અનેક લેયર્સ, સાથે ચાલે છે. જોકે અહીં ભણશાલી અનેક પાત્રોના ગ્રાફ અને ટ્રેક સાથે ન્યાય નથી કરી શકયા. રિચા ચઢાનો ટ્રેક શરૂ થતા જ ખતમ થઈ જાય છે. વહીદાની અંદર દબાયેલી ચિનગારી કોઈ આગ નથી લગાડી શકતા. આવા જ હાલ અધ્યયન સુમનના ટ્રેકના છે.

એકિટંગની વાત કરીએ તો મનીષા કોઈરાલાએ તેનું દમદાર પાત્ર જોરદાર ભજવ્યું છે. અદિતી રાવ હૈદર સોનાક્ષી સિંહાએ પણ પોતાના પાત્રમાં જીવ રેડયો છે. દિવ્યા નિધિ, વિભુ પુરીના ડાયલોગ યાદગાર છે. ફિલ્મોમાં યાદગાર સંગીત આપનાર ભણશાલી અહીં વધુ અસરકારક નથી રહ્યા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj