ભગવાન શ્રીરામનાં ભવ્ય મંદિરના નિર્માણ બાદ જન્મભૂમિ અયોધ્યામાં ઉત્સવોની હારમાળા છે. ગુરૂવારે છોટી દેવકાલી મંદિરમાં જાનકી નવમીની ઉજવણી કરવામાં આવી હતી.
ત્યારે રામલલ્લાને પણ કેસરીયા વાઘા સાથે શણગાર કરાયા હતા.ભઈ પ્રગટ કુમારી ભૂમિ વિહારી જનહીતકારી સુકુમારી..ની સ્તુતિ સાથે માતા જાનકીનો પ્રાગટય ઉત્સવ મનાવાયો હતો.દેવમાનાં ફુલ બંગલાની ઝાંખી સાથે 1051 દિવડાની મહાઆરતી થઈ હતી. રામમંદિરમાં ઉત્સવ પ્રતિકાત્મક હતો છતાં વિવિધ અનુષ્ઠાન કરાયા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy