રાજકોટ, તા. 2
આંબેડકરનગર શેરી નં. પમાં રહેતી 25 વર્ષીય પરિણીતાએ ગૃહકલેશથી કંટાળી જામનગર રહેતા તેના ભાઇને છેલ્લો ફોન કરી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરીવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. બનાવની જાણ થતા માલવિયાનગર પોલીસ દોડી ગઇ હતી.
પ્રાપ્ત વિગત મુજબ આંબેડકરનગર શેરી નં.પમાં રહેતા કાજલબેન હિતેષભાઇ રાઠોડ (ઉ.વ.રપ) નામની પરિણીતાએ આજે સવારે 10 વાગ્યાની આસપાસ પોતાના ઘરે રૂમમાં પંખાના હુકમાં ચુંદડી વડે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. બનાવની પરિવારને જાણ થતા 108ને ફોન કરી બોલાવતા 108ની ટીમે પરિણીતાને તપાસી મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે માલવિયાનગર પોલીસને જાણ થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સીવીલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.
વધુમાં બનાવ અંગે જામકંડોરણા રહેતા મૃતક કાજલબેનના ભાઇ મનહર પરમારે જણાવ્યું હતું કે આજે સવારે 8 વાગ્યે તેમની બહેનનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે મારે સાસુનો બહુ જ ત્રાસ છે, મારે અલગ થવું છે પણ મારો પતિ બહાના બતાવ્યા રાખે છે. જેથી તેમને હિંમત આપી હતી કે સારૂ થઇ જશે. પરંતુ 10 વાગ્યે તેમના જીજાજીનો ફોન આવ્યો હતો કે તેમની બહેને આપઘાત કરી લીધો છે. મૃતક ત્રણ બહેન, એક ભાઇમાં નાના હતા અને તેઓના ડ્રાઇવીંગ કામ કરતા હિતેષ સાથે ચાર વર્ષ પહેલા લગ્ન થયા હતા. મૃતક ખાનગી પેટ્રોલ પંપમાં નોકરી કરતા હતા. આ બનાવથી પરિવારમાં શોક છવાયો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy