રાજકોટ, તા. 15
સૌરાષ્ટ્ર-ગુજરાતનાં અમુક સ્થળોએ ગઇકાલે પણ પ્રિમોન્સુન એકટીવીટીનાં ભાગરૂપે ગાજવીજ સાથે વરસાદ પડયો હતો. ખાસ કરીને ભાવનગર જિલ્લામાં અર્ધોથી દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો.
આ ઉપરાંત રાજકોટ શહેરમાં પણ ગઇકાલે બપોરે ચાર વાગ્યા આસપાસ તોફાની પવન સાથે અર્ધો ઇંચ પાણી વરસી જતા રાજમાર્ગો પાણી.. પાણી થઇ ગયા હતા. તેમજ ડાંગના વધઇ, ગાંધીનગરનાં માણસા, વાંકાનેર, વઢવાણ, ધ્રાંગધ્રા, સુરત તથા પડધરીમાં પણ અર્ધો-અર્ધો ઇંચ વરસાદ વરસી ગયો હતો. જયારે આજે સવારે ભુજમાં ઝડપી પવન સાથે ધીમી ધારે વરસાદ પડયો હતો.
દરમ્યાન ભાવનગરથી મળતા અહેવાલ મુજબ ભાવનગર જિલ્લાના મહુવામાં દોઢ ઇંચ, ઉમરાળા અને તળાજા પંથકમાં અડધો અડધો ઇંચ જ્યારે વલભીપુર, જેસર અને શિહોર પંથકમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો.
ગોહિલવાડ પંથકના ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની મંગલ પધરામણી થઈ છે. ભાવનગર જિલ્લાના મહુવામાં ગઈકાલે સાંજે ધોધમાર દોઢ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. મહુવા અને આજુબાજુના ગામોમાં વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. મહુવા ઉપરાંત ઉમરાળા અને તળાજા પંથકમાં અડધો અડધો ઈંચ વરસાદ પડ્યો હતો ત્યારે જેસર અને સિહોર પંથકમાં હળવા ભારે ઝાપટા વરસી ગયા હતા. ભાવનગર શહેરમાં વરસાદ પડ્યો નથી.
આજે સવારે છ વાગે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન ભાવનગર જિલ્લાના વલભીપુરમાં 6 મી.મી., ઉમરાળામાં 14 મી.મી. સિહોરમાં 9 મી.મી. પાલીતાણામાં 33 મી.મી.તળાજા 11 મી.મી. અને જેસરમાં 3 મી.મી .વરસાદ નોંધાયો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy